Professional Documents
Culture Documents
નાટક દરખાસ્ત
નાટક દરખાસ્ત
-: શીર્ષક-:
(પસંદગીની કૃતિઓ) ”
વર્ષ : ૨૦૨૪
ભૂમિકા:-
આજના અનુઆધુનિક સમયમાં માનવતા કે માણસાઈના વિષયક ઘણાં સંઘર્ષ જોવા મળે છે. ખાસ
કરીને વિજ્ઞાન, દવા અને વ્યવસાયના ક્ષેત્રે વધુમાં વધુ પડકાર જોવામાં મળે છે. પરંતુ લોકોએ આ
વિશ્વમાં રચનાત્મક રીતે તેનો સામનો કરવા માટે માણસાઈના મૂળભૂત પક્ષને સમજવાની સખત જરૂર
છે. આજે આપણા માટે ઇતિહાસનો ખરેખર અર્થ શું છે? કે વી રીતે સાહિત્યકૃ તિઓ આપણને માનવીય
સ્થિતિ (ભૌતિક અને આધ્યાત્મિક બંને) પર વિચાર કરવા સક્ષમ બનાવે છે? તેમજ કૃતિઓમાં રહે લ
દાર્શનિક, નૈતિક, મનોવૈજ્ઞાનિક આંતરદ્રષ્ટિમાંથી આપણે કે વી રીતે લાભ મેળવી શકીએ? માનવ
અસ્તિત્વના લગભગ દરેક પાસાઓના ઝડપથી વિસ્તરી રહે લા ડિજિટાઇઝેશનને કારણે આપણે જે
કરીએ છીએ તે દરેક બાબતમાં માનવતાની આવશ્યકતા રહે છે.
વિષય પસંદગી:-
ગુજરાતી સાહિત્યમાં અનેક સંશોધનો થયાં છે અને થાય છે . મારા મતે આ વિષય નવો અને
સાંપ્રત સમયના અનુરૂપ ખૂબ અગત્યનો બની રહે છે. ગુજરાતી વિષયના સંશોધનમાં આ પ્રકારના
મુદ્દાઓ વિશે અલ્પ પ્રમાણમાં કામ થયું છે. આ સંશોધન સામાજિકગણ અને ખાસ કરીને
વિદ્યાર્થીવર્ગને ખૂબ જ ઉપયોગી બની રહે તેવો મારો પ્રયત્ન રહે શે.
સંશોધનનું શીર્ષક :-
“ગુજરાતી સાહિત્યની બે પ્રશિષ્ટ નાટ્યકૃતિઓમાં સામાજિક મૂલ્યો: એક અભ્યાસ
(પસંદગીની કૃ તિઓ)”
સંશોધનના હેતુઓ :-
(૧) ઐતિહાસિક સાતત્યતા: સમકાલીન સમાજમાં આ કૃતિઓ કે વો પડઘો પાડે છે તેની તપાસ
કરવી. તેમાં કૃતિઓનો મુખ્ય વિષય,મૂલ્યો અને સાંસ્કૃ તિક મહત્વતા પર શોધ કરવી.
(૩) આપેલ કૃ તિઓને મનોવૈજ્ઞાનિક, તાર્કીક અને નૈતિક દ્રષ્ટિએ તપાસવામાં આવશે.
(૪) આપેલ કૃ તિઓમાં નીતિભાવના અને સમાજસુધારાની ભાવના નિરૂપણનો વર્તમાન માનવીય
સંવેદના સાથે ચર્ચાઓ અને તેના સંબધિત કટોકટીઓ સાથે તેમની સુસંગતતાને ધ્યાનમાં રાખી
માનવીય અભિગમ રજૂ કરવો.
(૫) શિક્ષણશાસ્ત્રની વિચારધારાઓ: એકવીસમી સદીમાં અગાઉના સાહિત્ય શીખવવા માટે નવીન
શિક્ષણશાસ્ત્રના અભિગમોનું અન્વેષણ કરવું. જેમાં આજની વસ્તીને અગાઉના ગ્રંથો સાથેના
જોડાણને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ સંસાધનોના એકીકરણ, પ્રાયોગિક શિક્ષણ અને
સમાવિષ્ટ શિક્ષણ પદ્ધતિઓને ધ્યાનમાં લેવી.
સંશોધનનું વ્યાપવિશ્વ :-
પ્રસ્તુત શોધ નિબંધમાં પ્રકાશિત પ્રશિષ્ટ ગુજરાતી સાહિત્યમાં આપેલ બે નાટક કૃતિઓનો
અભ્યાસ કરી તેનો સમીક્ષાત્મક અધ્યયન કરવામાં આવશે.
સંશોધનની પધ્ધતિ:-
સંશોધનનું મહત્વ :-
આ સંશોધન ધ્વારા આપેલ કૃતિઓમાં નિરૂપાયેલ ઘટના, સામાજિક પરિવેશ તેમજ સંઘર્ષો, વાક
વ્યવહાર, ઐતિહાસિક્તા તેમની કોઠા સુજથી પ્રગટ થતી સંવેદનશીલતા દ્રષ્ટિગોચર થશે. અને
આધુનિક સમયની પરીક્ષાના અભ્યાસક્રમમાં તેનું મહત્વનું યોગદાન જોઈ શકાશે.
આ સંશોધન ભવિષ્યમાં આ ક્ષેત્રમાં કામ કરવા માંગતા સંશોધકોને ઉપયોગી નીવડશે.
સંશોધનની મર્યાદા :-
આ સંશોધનમાં આપેલ નાટ્ય સાહિત્યસ્વરૂપ ધરાવતી કૃતિઓની ઘટનાઓ, સાર તેમજ
તેમાં આવતા પાત્રો ને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવશે તેમજ તેમની આજના સાંપ્રત સમય
સાથે તુલના કરી યોગ્ય રીતે અભ્યાસ-અધ્યયન કરવામાં આવશે.
ઉપસંહાર :-
આધુનિક સમયના પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ તો ગુજરાતી ભાષા સાહિત્યનું વળગણ આજે
પણ આપણને જોવા મળે છે. આ સંશોધન ગુજરાતી સાહિત્યકારોના તેમની રચનાઓમાં વ્યક્ત થયેલાં
જે-તે વખતના તેમના વિચારોને આજના સમય સાથેના સંદર્ભે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ
ગુજરાતી કૃતિઓ પાસેથી આપણને હાલના સાંપ્રત સમયમાં ઘણું શીખવા મળે તેમ છે.
સંદર્ભસૂચિ/વેબલીઓગ્રાફી:-
(૬) શોધગંગોત્રી-http://shodhgangotri.inflibnet.ac.in/
(૭) યુ ટ્યુબ-https://www.youtube.com/