You are on page 1of 5

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં ભાષા સાહિત્ય વિભાગમાં

ગુજરાતી વિષયમાં (પી.એચ.ડી.) ની પદવી માટે રજૂ કરેલ મહાશોધ


નિબંધની સંશોધન દરખાસ્ત

-: શીર્ષક‌-:

“ગુજરાતી સાહિત્યની બે પ્રશિષ્ટ નાટ્યકૃતિઓમાં સામાજિક મૂલ્યો: એક


અભ્યાસ

(પસંદગીની કૃતિઓ) ”

પ્રસ્તુત કર્તા: માર્ગદર્શક:


અસારી પિનલકુ માર કાંતિલાલ ડૉ. વસંતભાઈ કે .
ગાવિત
એમ.એ., નેટ/જે.આર.એફ ઍસોસિયેટ પ્રોફે સર
આર્ટ્સ કૉલેજ, શામળાજી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ

વર્ષ : ૨૦૨૪
ભૂમિકા:-
આજના અનુઆધુનિક સમયમાં માનવતા કે માણસાઈના વિષયક ઘણાં સંઘર્ષ જોવા મળે છે. ખાસ
કરીને વિજ્ઞાન, દવા અને વ્યવસાયના ક્ષેત્રે વધુમાં વધુ પડકાર જોવામાં મળે છે. પરંતુ લોકોએ આ
વિશ્વમાં રચનાત્મક રીતે તેનો સામનો કરવા માટે માણસાઈના મૂળભૂત પક્ષને સમજવાની સખત જરૂર
છે. આજે આપણા માટે ઇતિહાસનો ખરેખર અર્થ શું છે? કે વી રીતે સાહિત્યકૃ તિઓ આપણને માનવીય
સ્થિતિ (ભૌતિક અને આધ્યાત્મિક બંને) પર વિચાર કરવા સક્ષમ બનાવે છે? તેમજ કૃતિઓમાં રહે લ
દાર્શનિક, નૈતિક, મનોવૈજ્ઞાનિક આંતરદ્રષ્ટિમાંથી આપણે કે વી રીતે લાભ મેળવી શકીએ? માનવ
અસ્તિત્વના લગભગ દરેક પાસાઓના ઝડપથી વિસ્તરી રહે લા ડિજિટાઇઝેશનને કારણે આપણે જે
કરીએ છીએ તે દરેક બાબતમાં માનવતાની આવશ્યકતા રહે છે.

પ્રસ્તુત મહાનિબંધને નીચે મુજબના પ્રકરણોમાં વિભાજીત કર્યો છે:

પ્રકરણ ૧: સામાજિક અને નૈતિક મૂલ્યોની વ્યાખ્યા(સંજ્ઞા અને સ્વરૂપ)


૧.૧ સામાજિક મૂલ્યો-સંજ્ઞા
૧.૨ સામાજિક મૂલ્યોનું ક્ષેત્ર
૧.૩ સામાજિક મૂલ્યોનું સ્વરૂપ, લક્ષણો
૧.૪ નૈતિક મૂલ્યોની સંજ્ઞા, વ્યાખ્યા
૧.૫ નૈતિક મૂલ્યોના સ્વરૂપ, લક્ષણો
પ્રકરણ ૨: નાટક - સ્વરૂપ અને વિકાસ
૨.૧ નાટક-અર્થ, વ્યાખ્યા
૨.૨ ગુજ. સાહિત્યમાં તેનો ઉદ્દભવ અને વિકાસ
૨.૩ નાટકના લક્ષણો, ભાષાશૈલી
પ્રકરણ ૩: નાટ્યકાર તરીકે રમણભાઈ નીલકં ઠ અને તેમનું યોગદાન
૩.૧ રમણભાઈ નીલકં ઠનું સર્જન
૩.૨ રમણભાઈ નીલકં ઠનું નાટ્યક્ષેત્રે વિકાસ-યોગદાન
પ્રકરણ ૪: નાટ્યકાર તરીકે સિતાંશુ યશચંદ્ર અને સાહિત્યમાં તેમનું યોગદાન
૪.૧ સિતાંશુ યશચંદ્રનું સર્જન
૪.૨ સિતાંશુ યશચંદ્રનું નાટ્યક્ષેત્રે વિકાસ-યોગદાન
પ્રકરણ ૫: ‘રાઈનો પર્વત’ નાટકમાં સામાજિક, નૈતિક મૂલ્યો
૫.૧ ‘રાઈનો પર્વત’ નાટકમાં નીતિભાવના અને સમાજસુધારાની ભાવના
૫.૨ ‘રાઈનો પર્વત’ નાટકમાં રહે લ સૂચિતાર્થો
૫.૩ ‘રાઈનો પર્વત’ નાટકમાં કથાનકનો રસિક વિસ્તાર
પ્રકરણ ૬: ‘અશ્વત્થામા’ નાટકમાં સામાજિક નૈતિક મૂલ્યો
૬.૧ ‘અશ્વત્થામા’ નાટકમાં આધુનિક મનુષ્યનું સંવેદન
૬.૨ ‘અશ્વત્થામા’ નાટ્યકૃતિ તરીકે મૂલ્યાંકન
૬.૩ ‘અશ્વત્થામા’ નાટકમાં વિશેષતા/ મર્યાદા
પ્રકરણ ૭: ‘ગ્રહણ’ નાટકમાં સામાજિક, નૈતિક મૂલ્યો
૭.૧‘ગ્રહણ’ નાટકમાં પાત્રોનું નિરૂપણ
૭.૨ ‘ગ્રહણ’ નાટકમાં માનવી અને મૂળનું તત્વદર્શન
પ્રકરણ ૮: ‘ખગ્રાસ’ નાટકમાં સામાજિક, નૈતિક મૂલ્યો
૮.૧ ‘ખગ્રાસ’ નાટકમાં આવતો પારિવારિક સંઘર્ષ
૮.૨ ‘ખગ્રાસ’ નાટકની રચનારીતિ
પ્રકરણ ૯: ઉપસંહાર

વિષય પસંદગી:-
ગુજરાતી સાહિત્યમાં અનેક સંશોધનો થયાં છે અને થાય છે . મારા મતે આ વિષય નવો અને
સાંપ્રત સમયના અનુરૂપ ખૂબ અગત્યનો બની રહે છે. ગુજરાતી વિષયના સંશોધનમાં આ પ્રકારના
મુદ્દાઓ વિશે અલ્પ પ્રમાણમાં કામ થયું છે. આ સંશોધન સામાજિકગણ અને ખાસ કરીને
વિદ્યાર્થીવર્ગને ખૂબ જ ઉપયોગી બની રહે તેવો મારો પ્રયત્ન રહે શે.

સંશોધનનું શીર્ષક :-
“ગુજરાતી સાહિત્યની બે પ્રશિષ્ટ નાટ્યકૃતિઓમાં સામાજિક મૂલ્યો: એક અભ્યાસ
(પસંદગીની કૃ તિઓ)”

સંશોધનના હેતુઓ :-
(૧) ઐતિહાસિક સાતત્યતા: સમકાલીન સમાજમાં આ કૃતિઓ કે વો પડઘો પાડે છે તેની તપાસ
કરવી. તેમાં કૃતિઓનો મુખ્ય વિષય,મૂલ્યો અને સાંસ્કૃ તિક મહત્વતા પર શોધ કરવી.

(૨) સુધારક, આધુનિક યુગની આ બે કૃ તિઓનું આજના સમયમાં પ્રસ્તુતીકરણ .

(૩) આપેલ કૃ તિઓને મનોવૈજ્ઞાનિક, તાર્કીક અને નૈતિક દ્રષ્ટિએ તપાસવામાં આવશે.

(૪) આપેલ કૃ તિઓમાં નીતિભાવના અને સમાજસુધારાની ભાવના નિરૂપણનો વર્તમાન માનવીય
સંવેદના સાથે ચર્ચાઓ અને તેના સંબધિત કટોકટીઓ સાથે તેમની સુસંગતતાને ધ્યાનમાં રાખી
માનવીય અભિગમ રજૂ કરવો.

(૫) શિક્ષણશાસ્ત્રની વિચારધારાઓ: એકવીસમી સદીમાં અગાઉના સાહિત્ય શીખવવા માટે નવીન
શિક્ષણશાસ્ત્રના અભિગમોનું અન્વેષણ કરવું. જેમાં આજની વસ્તીને અગાઉના ગ્રંથો સાથેના
જોડાણને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ સંસાધનોના એકીકરણ, પ્રાયોગિક શિક્ષણ અને
સમાવિષ્ટ શિક્ષણ પદ્ધતિઓને ધ્યાનમાં લેવી.

સંશોધનનું વ્યાપવિશ્વ :-
પ્રસ્તુત શોધ નિબંધમાં પ્રકાશિત પ્રશિષ્ટ ગુજરાતી સાહિત્યમાં આપેલ બે નાટક કૃતિઓનો
અભ્યાસ કરી તેનો સમીક્ષાત્મક અધ્યયન કરવામાં આવશે.

સંશોધનની પધ્ધતિ:-

(૧) વર્ણનાત્મક પધ્ધતિ :-


પ્રસ્તુત સંશોધનમાં વર્ણનાત્મક પધ્ધતિ ધ્વારા પસંદ કરેલ સમસ્યા કે
પ્રશ્નને વિસ્તૃત કરી સમજવા માટે સમસ્યાના મુળ સુધી પહોંચવા માટે તેને વિવિધ ઘટકોમાં વિભાજીત
કરવામાં આવશે. પ્રત્યેક ઘટકના સ્વભાવને પધ્ધતિસર તપાસવામાં આવશે.

(૨) વિવેચનાત્મક પધ્ધતિ :-


વિવેચનાત્મક પધ્ધતિ એટલે પરંપરાગત કે પૂર્વ સ્થાપિત સિધ્ધાંતો કે સત્યોનું ચોકસાઇ
પૂર્વકનું વિશ્લેષણ કાર્ય કર્યા બાદ જુદા જુદા પ્રમાણભૂતોને આધારે તપાસવી તેમજ આપેલ કૃતિઓની
વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતાની તપાસ કરવામાં આવશે.

સંબંધિત સાહિત્યની સમીક્ષા :-


આ સંશોધનમાં વિષયના સંબંધમાં આવતા ગ્રંથાલયના પુસ્તકો, તજજ્ઞો-વિદ્વાનોના પુસ્તકો,
લેખો તેમજ ઈન્ટરનેટ વેબ આધારિત વિવિધ પ્રકાશનો વગેરે ઇ-સામગ્રી દ્વારા કરવામાં આવશે.

સંશોધનનું મહત્વ :-
આ સંશોધન ધ્વારા આપેલ કૃતિઓમાં નિરૂપાયેલ ઘટના, સામાજિક પરિવેશ તેમજ સંઘર્ષો, વાક
વ્યવહાર, ઐતિહાસિક્તા તેમની કોઠા સુજથી પ્રગટ થતી સંવેદનશીલતા દ્રષ્ટિગોચર થશે. અને
આધુનિક સમયની પરીક્ષાના અભ્યાસક્રમમાં તેનું મહત્વનું યોગદાન જોઈ શકાશે.
આ સંશોધન ભવિષ્યમાં આ ક્ષેત્રમાં કામ કરવા માંગતા સંશોધકોને ઉપયોગી નીવડશે.

સંશોધનની મર્યાદા :-
આ સંશોધનમાં આપેલ નાટ્ય સાહિત્યસ્વરૂપ ધરાવતી કૃતિઓની ઘટનાઓ, સાર તેમજ
તેમાં આવતા પાત્રો ને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવશે તેમજ તેમની આજના સાંપ્રત સમય
સાથે તુલના કરી યોગ્ય રીતે અભ્યાસ-અધ્યયન કરવામાં આવશે.

ઉપસંહાર :-
આધુનિક સમયના પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ તો ગુજરાતી ભાષા સાહિત્યનું વળગણ આજે
પણ આપણને જોવા મળે છે. આ સંશોધન ગુજરાતી સાહિત્યકારોના તેમની રચનાઓમાં વ્યક્ત થયેલાં
જે-તે વખતના તેમના વિચારોને આજના સમય સાથેના સંદર્ભે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ
ગુજરાતી કૃતિઓ પાસેથી આપણને હાલના સાંપ્રત સમયમાં ઘણું શીખવા મળે તેમ છે.

સંદર્ભસૂચિ/વેબલીઓગ્રાફી:-

(૧)‘રાઈનો પર્વત’- રમણભાઈ નીલકં ઠ (નાટક)

(૨)‘અશ્વત્થામા’- સિતાંશુ યશચંદ્ર (નાટક)

(૩) ‘ગ્રહણ’- સિતાંશુ યશચંદ્ર (નાટક)

(૪) ‘ખગ્રાસ’- સિતાંશુ યશચંદ્ર (નાટક)

(૫) શોધગંગા- https://shodhganga.inflibnet.ac.in/

(૬) શોધગંગોત્રી-http://shodhgangotri.inflibnet.ac.in/

(૭) યુ ટ્યુબ-https://www.youtube.com/

You might also like