Professional Documents
Culture Documents
( )
( )
• અમલ :
• આ નિયમો તા. 15-11-2002 થી અમલી બન્યા છે (નિ-1)
• ઉમેદવારની નિમણૂક અથવા રહેઠાણ ના જિલ્લાના સિવિલ સર્જન અથવા તે હેતુ માટે
નિયુક્ત કરેલા તબીબી
• અધિકારી તબીબી આ નિયમમાં આપેલ નમુનામાં પ્રમાણ પત્ર આપશે (નિ-1)
• અમદાવાદ, જામનગર, વડોદરા અને સુરત માં એક સ્થાયી તબીબી મંડળ રહેશે (નિ-13)
• સરકારી ખર્ચે તાલીમ બાદ નિમણૂક આપવામાં આવતી હોય તેવી સરકારી નોકરી
માટે ના ઉમેદવારને તાલીમમાં પ્રવેશ આપતી વખતે તબીબી પ્રમાણપત્ર વિના
પ્રવેશ આપવાનો રહેશે નહીં (નિ-15)
• કર્મચારીની તબીબી તપાસ કરવામાં આવેલ છે, અને તે શારીરિક રીતે યોગ્ય જાહેર થયેલ
છે, તે હકીકતની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવાની રહેશે. તબીબી પ્રમાણપત્ર
કર્મચારીની નોકરીની કારકિર્દીના અન્ય દસ્તાવેજો સાથે સલામત કબજામાં રખવાનું
રહેશે (નિ-16)
• ધારણાધિકાર:
• કાયમી રીતે કાયમ જગા પર નિમાયેલ કર્મચારી તે કાયમી જગા પર “ધારણાધિકાર” ધરાવે છે.
આ આગઓ બીજી કોઈ જગા પર મેળવેલ ધારણાધિકાર સમાપ્ત થાય છે (નિ-20)
• નિ-23 હેઠળ મોકૂફ રાખવામા આવ્યો ન હોય,અથવા નિ-26 હેઠળ તબદીલ કકરવા માં આવ્યો ન હોય
તો,, કર્મચારીનો ધારણાધિકાર નીચેના સંજોગોમાં પણ જળવાઈ રહે છે (નિ-22):-
રાજ્યેત્તર સેવામાં હોય કે અન્ય હંગામી જગા પર કામ કરતાં હોય, અથવા અવેજીમાં
બીજી જગાએ કામ કરતાં હોય, અથવા પગાર ખર્ચ બાંધકામ ખાતે કે આકસ્મિક ખર્ચ તરીકે
ઉધારાતું હોય ત્યારે,
રજા પર હોય ત્યારે, અને
મુદતી જગા પર કાયમી નિમણૂક અથવા બીજા કોઈ કર્મચારીના મોકૂફ રખાયેલ દ્ધારણાધિકાર વાળી બીજી કાયમી જગા પર
કામચલાઉ ધોરણે કાયમી નિમણૂક આપવામાં આવે ત્યારે
બીજા સંવર્ગમાં અવેજી થી બદલી અથવા એવા બીજા સંજોગો, કે જેમાં ધારણાધિકાર ધરાવનાર કર્મચારી કાયમી જગા પર
3 વર્ષથી ઓછી ન હોય તેવી મુદત માટે ગેરહાજર રહેનાર હોય, તો સક્ષમ અધિકારી પોતાની મુનસફીથી. પરંતુ, બીજા
સંવર્ગમાં બદલી કરાયેલ કર્મચારી 3 વર્ષમાં નિવૃત્ત થનાર હોય તો તેનો ધારણાધિકાર મોકૂફ રાખી શકાય નહીં,
મુદતી જગા પર ધારણાધિકાર ધરાવનાર કર્મચારી ની અન્ય કમી જગા પર કાયમી નિમણૂક થાય તે સિવાય તેનો મુદતી જગા
પરનો ધારણાધિકાર મોફૂક રાખી શકાય નહીં
જો કોઈ કર્મચારીનો, સંવર્ગની સિલેકસન ગ્રેડ સહિતની જગાનો ધારણાધિકાર મોકૂફ રાખેલ હોય, તો તે જગા પર બીજા
કર્મચારીની કાયમી નિમણૂક થઈ શકશે અને તે બીજા કર્મચારી, પહેલા કર્મચારી તે જગા પર પાર્ટ ફરે ત્યાં સુધી
કામચલાઉ ધારણાધિકાર ધરાવશે
•
• ધારણાધિકરણી સમાપ્તિ:
• ધારણાધિકાર વાળી કાયમી જગા પર કર્મચારી ફરજ બજાવતા ન હોય અને તેથી તેનો
ધારણાધિકાર મોકૂફ રાખેલ હોવા છતાં, નિ-27 નિ જોગવાઈઓને આધીન, તેણે તે જ
સંવર્ગમાં ધારણ કરેલ બીજી કાયમી જગા પર તેનો ધારણાધિકાર તબદીલ કરી
શકાય (નિ-26)
• નીચેના સંજોગો સિવાય, કર્મચારીની બદલી ઓછા પગાર વાળી જગાએ થઈ શકે નહીં:-
• કર્મચારીને આપવામાં આવતી નકલમાં બધી જ નોંધો થયેલ છે અને તે કચેરીના વડા દ્વારા
પ્રમાણિત કરવામાં આવેલ છે, તેની ખાતરી કરવા કર્મચારીને જણાવવું. કર્મચારી એ પણ
આવી ખરાઈ કરી લેવી
• કર્મચારી પાસેથી, દર વર્ષે, તેની પાસેની સેવાપોથીની નકલ માં તમામ નોધો થયાનો
અને તે અદ્યતન હોવાનો સંતોષ થયો હોવાનો એકરાર કચેરીના વડાએ મેળવી લેવો . આવો
એકરાર મેળવી લીધેલ હોવાનું પ્રમાણપત્ર, દર વર્ષે, સપ્ટેમ્બર માસના અંત સુધી
માં ઉપરી અધિકારીને મોકલવું
જન્મના વર્ષ અને માસની જાણ હોય, પરંતુ તારીખની જાણ ન હોય, તેવા
કિસ્સામાં તે માસની 16 મી તારીખને જન્મ તારીખ ગણવાની રહેશે
જે કર્મચારીને તેની જન્મ તારીખ, માસ અને વર્ષની જાણ હોય, અને તે
પોતાની ઉમર આશરે પણ કહી શકતા ન હોય, તેવા કિસ્સામાં પરિશિષ્ટ-3
પ્રમાણે ના તબીબી પ્રમાણપત્ર માં તેના દેખાવ ઉપરથી જણાવેલ ઉમરને
ખરી ગણવાનીરહેશે. અને આવું તબીબી પ્રમાણ પત્ર અપાયાની તારીખે
તેટલી ઉમર ગણીને, તે તારીખથી ઘટાડો કરીને જન્મ તારીખ મેળવવી
સેવાપોથીમાં એક વાર ઉમર અથવા જન્મ તારીખની નોંધ થઈ ગયા પછી, અન્ય
વ્યક્તિની નિષ્કાળજી અથવા કારકુની ભૂલ સિવાય, તે સુધારી શકશે
નહીં
સેવા પોથી તૈયાર થઈ ગયા પછી, અજમાયશી સમયગાળો પૂરો થયા પછી કે 5 વર્ષની સળંગ નોકરી
પૂરી થયા પછી, એ બે માંથી જે વહેલું હોય , તે ગળા પછી જન્મ તારીખ સુધારવની વિનંતી
ગ્રાહ્ય રાખી શકશે નહીં . જે કિસ્સામાં અજમાયશી સમય ગાળો ન હોય, ત્યાં 5 વર્ષનો
ગાળો ધ્યાને લેવાનો રહેશે.
અંગ્રેજી, હિન્દી, ગુજરાતી કે મરાઠી ભાષામાં સહીન કરી શકનાર કર્મચારી ની,
વ્યક્તિગત ઓળખનં ચિહનોના સેવા પોથી ના કોલમમાં આંગળીઓની છાપો દર્જ કરાવવી.
કાગળની જુદી કાપાલીઓ પર આવા ચિહ્નો લઈને તેને સેવાપોથીમાં ચોંટાડવાના નથી.
પેન્શનપાત્ર નોકરીને આશ્રકારતી બાબતો, જેવીકે, અસાધારણ રજા, તાલીમ, ફરજ મોકૂફી,
બરતરફી અથવા છૂટા કરવા, ફરજિયાત નિવૃત્તિ, રાજીનામાં બાદ પરત લેવા, અન-અધિકૃત
ગેરહાજરી, વગરે બાબતોની નોંધ સેવા પોથી માં વિશિષ્ટ રંગના પાનાં ઉપર કરીને, તેને
પેંશનના હેતુ માટે ગણતરી માં લેવાની ચ્હે કે કેમ, તેની સ્પષ્ટ નોંધ કરીને
પ્રમાણિત કરવાની રહેશે
સામાન્ય ભવિષ્ય નિધિ, પેન્શન, જુથ વીમા યોજના, જેવી બાબતો માટે કર્મચારી
આપેલ નિયુક્તિપત્રો સેવાપોથી માં સામેલ કરવાના રહેશે
કચેરીના વડાએ દર વર્ષે, કર્મચારીને તેની સેવા પોથી બતાવવાની રહેશે અને
કર્મચારી સેવા પોથી તપસ્યા બદલીની સહી તેમાં લેવાની રહેશે. કર્મચારી એ,
ગત નાણાકીય વર્ષ સંબંધે આ કાર્યવાહી કરી છે, તે મતલબનું પ્રમાણપત્ર, દર
વર્ષે સપ્ટેમ્બર માસના અંત સુધી માં ઉપરી અધિકારીને મોકલવું પડશે.
કર્મચારી એ પોતે સહી કરતાં નોકરીની અન્ય બાબતો સાથે તેની સેવાની ખરાઈ
કરીને જરૂરી પ્રમાણપત્ર અપાયેલ હોવાની અને કોઈ છેકછાક હોય, તો તે
પ્રમાણિત કરાઇ હોવાની ખાતરી કરશે. રાજ્યેત્તર સેવામાં હોય, તેવા
કર્મચારીનિ સહી સેવા પોથી માં લેતા પહેલા રાજ્યેત્તર સેવાને લગતી
બાબતોની નોંધો ઓડિટ અધિકારી સેવા પોથીમાં કર્યા બાદ જ મેળવવી (નિ-43).
• બદલી ના કિસ્સામાં, જે કચેરીમાંથી કર્મચારીની બદલી થયેલ હોય, તે કચેરીએ,
બદલી પામેલ કર્મચારીની સેવાપોથીમાં બદલીના પ્રકારની નોંધ કરીને,
સેવાપોથી અદ્યતન કરીને અને કચેના વડા દ્વારા પ્રમાણિત કરીને, બદલી વાળી
કચેરીના વડાને મોકલવી જોઈશે. બદલી વાળી કચેરીએ સેવાપોથી અદ્યતન હોવાની
ખરાઈ કર્યા બાદ જ સ્વીકારવાની રહેશે. કોઈ ત્રુટિ જણાય, તો જે તે કચેરીન એપરત
કરીને તેની પુર્તતા કરવી લેવાની રહેશે. સેવાપોથી બદલી પામેલ કર્મચારીને
આપવાની નથી. (નિ-44)
• પોલીસ દળ માં જોડાયા અગાઉની સેવા, જો પેન્શન પત્ર હોય તો, તેના પુરાવા
એકત્ર કરી, આ રોલ ઉપરથી પેન્શન પત્ર નોકરી નક્કી કરવાની રહેશે (નિ-47)
સમાપ્ત