Professional Documents
Culture Documents
ગજ
લલિતકલાઓ
સ્થાપત્યકલા
વડનગરનુ ં તોરણ
વડનગરનુ ં હાટકેશ્વર મંદિર
શામળાજીનુ ં મંદિર
રવીન્દ્ર વસાવડા
શિલ્પકલા
પ્રિયબાળાબહેન શાહ
થોમસ પરમાર
ચિત્રકલા
નટુભાઈ પરીખ
અમિતાભ મડિયા
લોકચિત્રકલા
ચિત્રાલેખમાં બહવિ
ુ ધ ચિત્રો થયાં છે ; જેમાં રામાયણ, મહાભારત,
ભાગવત, પૌરાણિક કથાનકો, જૈન કથાનકો, લોકકથાઓ, લયલા-
મજન ૂ, સ્વર્ગ-નરક ઉપરાંત પશુપખ
ં ી, ફૂલ, વેલ, બુટ્ટી વગેરેની
શોભનતરે હો અને આલંકારિક ભાતોનુ ં સંયોજન થયુ ં હોય છે .
લોકપરં પરાની ચિત્રકલામાં એક કાળ-એકમના બધાય ચિતારાઓની
કલ્પના, રચના-સંયોજન અને ધાટી પ્રાયશ: સમાન માલ ૂમ પડી છે .
ં ૂ ાઈ
કાષ્ઠ પર થયેલાં ચિત્રોને વારં વાર હાથ લાગતાં ચિત્રો રે ળાઈ-ભસ
ન જાય, તેથી તેના પર લાક્ષારસનો ઢોળ ચડાવવામાં આવ્યો છે .
ંૂ
બીજી પરં પરા ચદડિયા બ્રાહ્મણોની છે . તેઓ ગામચોરે કાંસાની થાળી
ંૂ
વગાડી લોકોને ભેળા કરે છે ; પછી મોઢામાંથી ચદડી, બંગડી, કંકુ અને
નારિયેળ કાઢી લોકોને હેરત પમાડી ટીપણુ ં ખોલીને વર્ષફળ કહે છે .
આ ટીપણામાં ગણપતિ, શિવપરિવાર, નવ ગ્રહો અને ભૌમિતિક
પરં પરાનાં સુશોભનો હોય છે .
પોતાના ઘરની દીવાલ પર લીંપણ કરી તેના ઉપર ધોળી ખડી – ગેરુ
કે કોઈ વાર આટાથી ચિત્રો આળે ખાય છે . હળદર અને કંકુનાં કોઈક
વાર પ ૂરણાં પુરાય છે .
લોકદે વદે વીઓનાં નૈવેદ્ય વખતે તેમની ધર્મવિધિના આળે ખ પુરુષો કરે
છે . આ પ્રતીકો ઘીસિંદૂર કાલવીને આલેખાય છે . તેમાં દે વીના પ્રતીક
તરીકે ત્રિશ ૂલ, ચડતી દે રડી વગેરે ચીતરાય છે તો વૈશાખ સુદ ચોથના
રોજ ગણેશપ ૂજન કરી, લાભ, શુભ, ચડતી દે રડી, લાડુ વગેરેનાં પ્રતીકો
આળે ખાય છે . જ્ઞાતિનો કુળગોર ગણેશસ્થાપના, ગોત્રજસ્થાપના,
રામદે વસ્થાપના વગેરેનાં ચિત્રો ભીંત પર ચીતરે છે .
ખોડીદાસ પરમાર
સંગીતકલા
ગુજરાતનાં વાજિંત્રો : (1) ખંજરી, (2) મ ૃદં ગ, (3) પખવાજ, (4) ડાકલુ,ં (5) ઢોલક,
(6) ઢોલ, (7) તાસું
ભારતમાં સર્વપ્રથમ અખિલ હિંદ સંગીત પરિષદ 1916 માં વડોદરામાં
ભરાઈ હતી, જેનુ ં સંચાલન સંગીતના વિખ્યાત શાસ્ત્રકાર પંડિત વિષ્ણુ
નારાયણ ભાતખંડેએ કર્યું હત.ું આ શાસ્ત્રકારને ભારતમાં શાસ્ત્રીય
સંગીતના પ્રચારાર્થે મહારાજા સયાજીરાવ તરફથી સક્રિય સહાય મળી
હતી. 1886 માં વડોદરામાં સ્થપાયેલી સંગીતશાળા 1950 માં ‘કૉલેજ
ઑવ ્ મ્યુઝિક, ડાન્સ ઍન્ડ ડ્રામૅટિક્સ’માં રૂપાંતર પામી હતી અને તેન ુ ં
સંચાલન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને વિધિવત ્ સોંપવામાં
આવ્યુ ં હત.ું ભારતમાં મંચનકલાઓ-(performing arts)ના ક્ષેત્રે સ્નાતક
અને અનુસ્નાતક-કક્ષાનો અભ્યાસક્રમ દાખલ કરવાનો જશ આ
યુનિવર્સિટીને ફાળે જાય છે .
અમર ભટ્ટ
ગુજરાતમાં ભવાઈ હતી. તેણે તેનો પ્રેક્ષક બને ત્યાં સુધી ગામડામાં જ
શોધ્યો હતો અને ગામડે ગામડે પડાવો નાંખી તેના ખેલ થતા રહેતા.
ં ઈમાં જ્યારે જૂની રં ગભ ૂમિનાં નાટકો લોકપ્રિય થવા માંડ્યાં ત્યારે
મુબ
તેના પ્રભાવે ગુજરાતમાં પણ ઘણી મંડળીઓ ઊભી થઈ. હળવદની
નરભેરામની મંડળી, મોરબી આર્ય સુબોધક નાટક મંડળી, વાંકાનેર
આર્ય સુબોધક નાટક મંડળી વગેરે. આ મંડળીઓ ત્યારના રાજાઓ
પાસે રાજ્યાશ્રમ મેળવવા પ્રયત્ન કરતી. મોરબી કંપનીને
કાઠિયાવાડના રાજાઓ તો ડાહ્યાભાઈની કંપનીને વડોદરાના
સયાજીરાવ ગાયકવાડ રાજ્યાશ્રય આપતા. રાજ્યાશ્રય મળતાં જ
શાણા ડાહ્યાભાઈ એવુ ં પાટિયુ ં લગાડતા : ‘સમશેરખેલબહાદુર શ્રીમંત
સયાજીરાવ ગાયકવાડ આશ્રિત શ્રી દે શી નાટક સમાજ’. ત્યારે રાજાઓ
મંડળીને આશ્રય આપે એવો ચાલ શરૂ થયેલો. તે રીતે પાલિતાણાના
ઠાકોરે , વાંકાનેરના મહારાજાએ પણ નાટ્યમંડળીઓને આશ્રય આપેલો.
મુબ
ં ઈની મંડળીઓને મુબ
ં ઈમાં આ રીતે કદી જરૂર ઊભી થતી નહોતી.
આમ છતાં ગુજરાત અને મુબ
ં ઈની મંડળીનાં નાટકોમાં કોઈ મોટા
ભજવણી-ભેદ, વિષય-સામગ્રી-ભેદ ન હતા. લગભગ મુબ
ં ઈની
મંડળીનાં નાટકોની જ એક યા બીજી રીતે નકલ થતી હતી. મુબ
ં ઈની
મંડળીઓમાં જોકે વ્યાવસાયિક સ્પર્ધા તીવ્ર હતી ને તે એવી હતી કે
એક મંડળીના સફળ લેખકને યા અભિનેતાને બીજી મંડળીવાળા
કાવાદાવા કરીનેય પોતાનો કરી લેવા ઉપાયો કરતા. આ સ્થિતિ
સર્જાવાના કારણે જ દરે ક મંડળી પોતાના લેખક, અભિનેતા પાસે
કરારો કરાવતી. અલબત્ત, આ સ્થિતિ પરથી એવુ ં જરૂર તારવી શકાય
કે અભિનેતાની જેમ લેખકોનુ ં પણ ભારે વર્ચસ ્ હત.ું જે લેખક લોકપ્રિય
થઈ શકે તેવા વિષય-વસ્ત ુની નિત્ય શોધ કરતો રહે અને પ્રેક્ષક-પસંદ
સંવાદોભરી બેતબાજીની ઝમક પેદા કરી શકે તેની બોલબાલા હતી.
તેમણે એ આખીય નાટ્ય-કથામાં ગીત-સંગીતની જગ્યા રાખવી
પડતી; બલકે , આ ગીત-સંગીત પણ એ નાટ્યલેખનના જ ભાગરૂપ
હતાં. ત્યારે એવા અભિનેતા વધારે સફળ રહી શકતા જે બેતબાજીમાં
કુશળ હોય અને કંઠ પણ અચ્છો ધરાવતા હોય. પં. વાડીલાલ
શિવરામ, દલસુખરામ ભોજક, મ ૂળચંદ મામા, કાસમભાઈ મીર, મોહન
જુનિયર જેવા સંગીતકારો ડાહ્યાભાઈ ધોળશાજી, પ્રભુલાલ દ્વિવેદી,
રઘુનાથ બ્રહ્મભટ્ટ, કવિ ત્રાપજકર, જી. એ. વૈરાટી, મનસ્વી પ્રાંતિજવાલા,
પ્રફુલ્લ દે સાઈ વગેરેનાં લખેલાં ગીતોનાં સ્વરાંકન કરતા. આ ગીત-
સંગીત આગળ જતાં ગુજરાતી સુગમ સંગીતના સમ ૃદ્ધ વારસા રૂપે
સ્વીકારાયાં. નાટકનાં વિષયવસ્ત ુ, બેતબાજીની જેમ જ આ ગીત-
સંગીત પ્રેક્ષકોને નાટક સુધી લઈ આવતાં. દરે ક અભિનેતા કાંઈ ઉત્તમ
ગાયક ન હોઈ શકે અને ત્યારે તો સ્ત્રીપાત્ર પણ પુરુષ-અભિનેતા જ
ભજવતા એ સંજોગોમાં મર્યાદા ઘણી હતી. સફળ મંડળીઓ આ માટે
જ અવાજની તાલીમ અને ઉચ્ચારશુદ્ધિ માટે વિશેષ પ્રયત્નો કરતી.
બાપુલાલ નાયક, જયશંકર ‘સુદરી’,
ં અશરફખાન, મોહનલાલા,
પ્રાણસુખ ‘એડિપોલો’, અમ ૃત કેશવ નાયક, પ્રભાશંકર ‘રમણી’, માસ્તર
વસંત, મોતીબાઈ, મુન્નીબાઈ જેવાં ત્યારની રં ગભ ૂમિનાં કુશળ નટ-નટી
હતાં અને તેમની લોકપ્રિયતાનો સુમાર ન હતો. આધુનિક ઉપકરણોના
અભાવવાળા પ્રેક્ષાગૃહમાં, સાઉન્ડ સિસ્ટમના અભાવ વચ્ચે તેમણે જે
અભિનયશૈલી કેળવી હતી તે અભિનયની સ ૂક્ષ્મતા, ચહેરાના હાવભાવ,
અંગચેષ્ટા ઉપરાંત અવાજ વડે રચાતા ભાવ-પલટા વડે સિદ્ધ થયેલી
હતી. ત્યારે સેટ પણ ન હતા તેના સ્થાને પાર્શ્વભ ૂમાં ચીતરાયેલા પડદા
ુ રૂ કાબરાજીથી માંડી બાપુલાલ નાયક, કાસમભાઈ
રહેતા. કેખશ
માસ્તર, દયાશંકર ગિરનારા, કાસમ મીર, મ ૂળચંદ મામા વગેરે
દૃશ્યોની ગોઠવણી કરનારા, સુનિયોજિત સંકલન કરનારા હતા, જેમને
દિગ્દર્શક તરીકે પણ ઓળખાવી શકાય. જોકે ત્યારે આજની
દિગ્દર્શનની વિભાવનાયે પ્રચલિત ન હતી.
જે કાંઈ ખ ૂબ પ્રચલિત બને તેની સામે કશુકં જુદું કરવાનુ ં લગભગ
દરે ક ક્ષેત્રમાં બનત ું હોય છે . ઈ. સ. 1902 માં કવિ નથુરામ સુદરજીએ
ં
નાટકો લખવા ઉપરાંત ભરતના ‘નાટ્યશાસ્ત્ર’નો ગુજરાતી અનુવાદ
પ્રગટ કર્યો. ઈ.સ. 1904 માં વડોદરાના બાબુલાલ જેવા હાર્મોનિયમ-
માસ્તરે ‘સજન સુદરી’
ં લખી તેનો અવેતન પ્રયોગ કર્યો. મુબ
ં ઈમાં
બૅરિસ્ટર ન ૃસિંહ વિભાકર ઘણી સભાનતા સાથે નાટ્યલેખનમાં
પ્રવેશ્યા. તેઓ જૂની રં ગભ ૂમિ પર ભજવાતાં નાટકોના લેખનસ્તરથી
રાજી ન હતા. તેઓ માનતા હતા કે રં ગભ ૂમિને ઉન્નત કરવાનુ ં કામ
સાહિત્યપ્રિય શિક્ષિતવર્ગનુ ં જ છે અને તેમના વડે જ નાટકો પણ
લખાવાં અને ખાનગી રીતે ભજવાવાં પણ જોઈએ. તેઓ એક વિકલ્પ
રચવાની મથામણ કરી રહ્યા હતા. જોકે આ કાંઈ સરળ ન હત.ું
1912 માં છોટાલાલ રૂખદે વ શર્માએ ગો. મા. ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’
નવલકથાનુ ં નાટ્યરૂપ સ ૂરતમાં ભજવ્યુ.ં આમ તો મ ૂલાણીએ પણ
નંદશંકર મહેતાની નવલકથા ‘કરણઘેલો’ પરથી નાટક રચ્યુ ં હત,ું
પરં ત ુ વ્યવસાયી રં ગભ ૂમિ સામે આ પ્રયત્નો કોઈ પ્રભાવ ઊભો કરી
શકે એમ ન હતા. જૂની રં ગભ ૂમિની મર્યાદાઓ સામે વીસમી સદીના
ત્રીજા દાયકાથી જ પડકાર ફેંકાવા શરૂ થયા તોય ઠેઠ 1979-80 માં
ભાંગવાડી થિયેટર ત ૂટ્યું ત્યાં સુધી એ શૈલીનાં નાટકો ભજવાતાં તો
રહ્યાં જ. વળી મર્યાદાઓ ભલે ગમે તે ચીંધાતી હશે એ રં ગભ ૂમિએ
જબરદસ્ત પ્રેક્ષકવર્ગ ઊભો કર્યો હતો. લોકોમાં તેમનાં વસ્ત્રો ‘ફૅશન’
બની જતાં અને ટોળ-ટપ્પા, મહેફિલોમાં એ રં ગભ ૂમિના સંવાદો, ગીતો,
આનંદ અને ચર્ચાની સામગ્રી બનતાં. આજે જે સ્થાન ફિલ્મસ્ટારોનુ ં છે
તેવ ુ ં ત્યારે તેમના અભિનેતાઓનુ ં રહેત.ું નાયિકા બનતા અભિનેતાના
અપહરણના પણ પ્રયત્નો થતા ! આ બધા કારણે જ ગુજરાતી
રં ગભ ૂમિની શતાબ્દી વેળા ગ્રંથ પ્રગટ થયો ત્યારે 202 જેટલી
કંપનીઓની નોંધ તેમાં હતી. બાપુલાલ નાયકની ‘મુબ
ં ઈ ગુજરાતી
નાટક મંડળી’ 1922 થી 1939 સુધી ચાલી અને તેણે 109 નાટકો
ભજવેલાં. પછી આ મંડળી નવા નામે ચાલેલી. ત્યારે ભાગીદારો
બદલાતા, માલિકો બદલાતા – આવુ ં બધુ ં થયાં કરત.ું
દાદાસાહેબ ફાળકેએ સિનેમા માધ્યમ જોડે કામ પાડવુ ં શરૂ કર્યું ત્યારે
આ જૂની રં ગભ ૂમિનાં નાટકો જ અપનાવેલાં. ‘રાજા હરિશ્ચંદ્ર’ તેનો
નમ ૂનો છે . મગ
ં ૂ ી સિનેમાના યુગમાં અનેક નાટકો સીધાં ફિલ્માંકન વડે
નવા પ્રેક્ષકો પામ્યા હતા. કહી શકાય કે ભારતીય અને ગુજરાતી
ફિલ્મના પ્રારં ભકાળને ખીલવવામાં, તેના સ્વરૂપ-ઘડતરમાં આ જૂની
રં ગભ ૂમિ, પારસી રં ગભ ૂમિનો ફાળો ઘણો મોટો રહ્યો છે . ‘એક સરખા
દિવસ સુખના કોઈના જાતા નથી’ (‘માલવપતિ’), ‘સાહ્યબો મારો
ગુલાબનો છોડ, વેલી હુ ં તો લવંગની’ (‘હંસાકુમારી’), ‘ઝટ જાઓ
ંૂ
ચંદનહાર લાવો, ઘઘટ નહિ ખોલું રે .’ (‘વલ્લભીપતિ’), ‘મીઠા લાગ્યા
તે મને આજના ઉજાગરા’ (‘વડીલોના વાંકે’), ‘સાંભળે રે બાળપણનાં
સંભારણાં’ (‘શાલિવાહન’), ‘હૃદયના શુદ્ધ પ્રેમીને’ (‘માલવપતિ’), ‘તમે
જોજો ના વાયદા વિતાવજો’. (‘અરુણોદય’) જેવાં અનેક ગીતો કાને
પડતાં જ જૂની રં ગભ ૂમિનાં સ્મરણો જાગી ઊઠે છે એ તેની મહત્તા છે .
આ બધાં ગીતોના કવિઓને સાહિત્યમાં સ્થાન ન મળ્યુ ં છતાં તેમણે જે
સિદ્ધિ હાંસલ કરી તેની અવગણના શક્ય નથી. જૂની રં ગભ ૂમિનાં
નાટકોએ પ્રજાજીવનની સ્મ ૃતિ, ગૌરવના હિસ્સારૂપ બનેલા અનેક
કથાઘટકો પુરાણ, ઇતિહાસમાંથી પણ લીધા. રસબોધ સાથે નીતિબોધ,
સમાજબોધની પણ તેમણે ખેવના કરી. જૂની રં ગભ ૂમિની સફળતા
બહવિ
ુ ધષ્ટિ સાથેના અભ્યાસની અપેક્ષા રાખે છે .
ઈ.સ. 1915 માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા વળ્યા પછી
સમાજજીવન, રાષ્ટ્ર અને તેનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં પણ પરિવર્તન
માટે ની તત્પરતા દે ખાવા માંડી. યુનિવર્સિટી-શિક્ષણના પ્રભાવનો –
કૉલેજપ્રવ ૃત્તિના પ્રભાવનો પણ એ સમય હતો. સમાજ હવે નવશિક્ષિત
પાસે અપેક્ષા રાખતો થયો હતો. 1922 માં ચન્દ્રવદન મહેતાએ
‘લાલિયા પરાપર’ એકોક્તિ ભજવી અને જાણે તેનાં આંદોલન
ઝિલાવા શરૂ થયાં. બટુભાઈ ઉમરવાડિયા, યશવંત પંડ્યા, પ્રાણજીવન
પાઠકનાં એકાંકીઓ પ્રકાશિત થવા માંડ્યાં. રં ગભ ૂમિના પ્રેક્ષકમાન્ય
સ્વરૂપ તરીકે એકાંકીનુ ં સામર્થ્ય ભલે ન હત;ું પણ નાટ્યલેખન-ઘડતર
અને કૉલેજપ્રવ ૃત્તિ દરમિયાન નાટકની ભજવણીને તેમાંથી સારી
સામગ્રી ઉપલબ્ધ બનતી. નાનાભાઈ રાણીના, ખુરશેદજી બાલીવાલા,
બમનજી કાબરાજી, જહાંગીર પટે લ ‘ગુલફામ’ જેવા પારસી
નાટકકારોએ પ્રારં ભમાં એકાંકીના સ્વરૂપ-ઘડતરનુ ં કામ કરે લ ું તેને આ
નવલેખકોએ વધારે સભાનતાથી વિસ્તાર્યું. આ લેખનનો પ્રભાવ જૂની
રં ગભ ૂમિએ પણ ઝીલ્યો. 1930 માં કવિ જામને સાવ એકાંકી નહિ તોય
બે અંકોની લઘુ નાટિકાઓ લખી અને તે વ્યવસાયી રીતે ભજવણી
પણ પામી. વિષયો પરત્વે પણ અભિગમ બદલાવો શરૂ થયો.
મ ૂળશંકર મ ૂલાણીએ દે શી રજવાડા અને ગોરા અમલદારોના સંબધ
ં
વિશે ‘કુંદબાળા’ નાટક લખ્યુ.ં સ્વાતંત્ર્યની લડત, મજૂર-ચળવળ જેવા
વિષયો પણ અપનાવવા શરૂ થયા. મ ૂલાણીએ જ હોમરૂલ ચળવળ
અને સ્વદે શીની ભાવનાથી સભર ‘ધર્મવીર’ લખ્યુ.ં આ વર્ષોમાં જ
ન ૃસિંહ વિભાકરે 1923 માં ‘રં ગભ ૂમિ’ નામનુ ં ત્રૈમાસિક પ્રગટ કરવુ ં શરૂ
કર્યું. નાટક કંપનીઓ ધીમે ધીમે ત ૂટવા માંડી હતી, પ્રેક્ષકોની
અપેક્ષાઓ બદલાવા માંડી હતી.
1978 માં ગુજરાતી રં ગભ ૂમિ સવાશતાબ્દી ઊજવી રહી હતી ત્યારે ફરી
ફરી કેટલાક અનુત્તર પ્રશ્નો ચર્ચાના કેન્દ્રમાં હતા. સમગ્ર ભારતમાં બહુ
ઓછા ભાષા-પ્રદે શોમાં રં ગભ ૂમિ સવાશતાબ્દી ઊજવવા સુધીના
સાતત્યમાં વિસ્તરી હતી. ગુજરાતી રં ગભ ૂમિ સમયમાં વિસ્તરી પણ
સર્જકતામાં કુણ્ઠિત રહ્યાની વાસ્તવિકતા પીડે એમ હતી. સવાશતાબ્દી
સુધીની નાટકની પ્રવ ૃત્તિ શા માટે મુખ્યત્વે મુબ
ં ઈના કેન્દ્રમાં રહીને જ
વિસ્તરી ? શા માટે તે ગુજરાતી પ્રજાજીવનના અંગ રૂપે સ્વીકૃતિ ન
પામી ? ચંદ્રવદન ભટ્ટ, અદી મર્ઝબાનથી માંડી પ્રવીણ જોષી, મડિયા,
વિજય દત્ત, અરવિંદ ઠક્કર વગેરેની નાટ્ય-પ્રવ ૃત્તિ એક અર્થમાં શહેરી
પ્રેક્ષકને જ કેમ રીઝવતી હતી ? ગુજરાતી ઇતિહાસ, સમાજ, લોકકથા,
ગુજરાતી પ્રજાના અનેકવિધ સંઘર્ષો કેમ આ નાટકોના કેન્દ્રમાં ન હતા
? જશવંત ઠાકર, દીના પાઠક, પ્રતાપ ઓઝા, ઉપેન્દ્ર ત્રિવેદી, માર્કણ્ડ
ભટ્ટ જેવા ચોક્કસપણે રં ગભ ૂમિના વિષયો પરત્વે વધુ ગંભીર હતા
અને પ્રશિષ્ટ કૃતિની ભજવણીના પ્રયત્નો થતા હતા. તેમણે ગુજરાતી
નાટ્યપાઠની શોધો પણ આદરી, છતાં ભવાઈ જો વિશાળ
ગ્રામસમાજના ભાગ રૂપે જીવંત રહી હતી તો આ બધાં નાટકો કેમ
ગ્રામસમાજની ઉપેક્ષા કરતાં હતાં ? શુ ં પ્રોસેનિયમ આર્ચ, ભજવણીની
તકનીક અને કુલ આર્થિક ખર્ચ અને નાટ્યવિષય મર્યાદા બનતાં હતાં
ૂ કર, જયવંત દળવી,
? મરાઠી ભાષામાં વસંત કાનેટકર, વિજય તેંડલ
રત્નાકર મતકરી, પુ. લ. દે શપાંડે અને પછી સતીશ આળે કર, મહેશ
એલકુંચવાર, ગણેશ પુરુષોત્તમ દે શપાંડે તો હિન્દીમાં મોહન રાકેશ,
શરદ જોષી, સુરેન્દ્ર વર્મા, શંકર શેષ, ધર્મવીર ભારતી, હબીબ તનવીર
જેવા અને કન્નડમાં આદ્ય રં ગાચાર્ય, ગિરીશ કર્નાડ, કર્ણાટકમાંથી
ચન્દ્રશેખર કમ્બાર, કેરળમાં કેવલમ ્ નારાયણ પણિક્કર, પશ્ચિમ
બંગાળમાં બાદલ સરકારથી આરં ભી ઉત્પલ દત્ત, મનોજ મિત્રા,
દે સ્તશીષ મજુમદાર જેવા લેખકો સ્વતંત્રતા પછીની રં ગભ ૂમિના લેખક
તરીકે પ્રાદે શિક ભાષામાંથી વિસ્તરી રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ પામ્યા, તેવ ુ ં
ગુજરાતી નાટ્યલેખક અને તેમની કૃતિઓ બાબતે કેમ ન બન્યુ ં ?
અપવાદ રૂપે મધુ રાયની ‘કુમારની અગાસી’.
હસમુખ બારાડી
જનક દવે
લોકનાટ્ય : ભવાઈ
અસાઇત ઠાકરે 360 ભવાઈવેશ લખ્યાની અને તેમના ત્રણ પુત્રો સાથે
ભજવ્યાની લોકવાયકા છે . તે પૈકી આજે તો 20 થી 25 જેટલા જ વેશ
ઉપલબ્ધ છે – તેય કેટલાક ફેરફારો સાથે અને મુદ્રિત સ્વરૂપે.
તેમાં જૂનામાં જૂનો વેશ ‘રામદે વ’ કે ‘રામદે શ’નો વેશ હોય એમ લાગે
છે તેના કથનાત્મક (narrative) સ્વરૂપ અને વસ્ત ુગથ
ં ૂ ણીને કારણે. વળી
આ વેશ પર હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ’ની છાપ પણ
વર્તાય છે . ‘રામદે વ’નો વેશ લખ્યો હશે તે નીચેના ઉદાહરણ પરથી
જોઈ શકાય છે :
ં ૂ ળિયા બે જોડ,
તાલગર ટોળે મળ્યો ભગ
આવા ભિન્ન પ્રકારના, વિભિન્ન સ્તરના, ભિન્ન ભિન્ન કોમોને આવરી લેતા
વેશો દ્વારા લોકોને જ્ઞાન, શિક્ષણ અને મનોરં જન પ ૂરું પાડવામાં
આવત.ું જે યુગમાં સિનેમા, ટી.વી., રે ડિયો જેવાં સમ ૂહપ્રત્યાયન(mass-
communication)નાં સાધનો ન હતાં તે યુગમાં આ ભવૈયાઓનો
સામાજિક દરજ્જો ઊંચો હતો. તેઓ જ્યારે ગામમાં પ્રવેશતા ત્યારે
ગામલોકો ઢોલ-નગારા સાથે તેમનુ ં સામૈય ુ ં કરતા. ગામની બધીય
કોમો તેમાં સંકળાયેલી રહેતી. કુંભાર પાણીનુ ં માટલું આપી જતો,
વાળંદ ‘વત’ું કરી જતો અને વેશ-ભજવણી વખતે હાથમાં તેલની કૂપી
લઈ મશાલ સાથે ચાચરમાં હાજર થતો. માળી ફૂલ લાવતો. સ્ત્રીઓ
પાણી ભરી લાવતી, તો કોઈ વેશમાં કોઈ ગામલોક ખ ૂટત ું ઉપકરણ
પણ પ ૂરું પાડતા અને કણબી સમાજના આશ્રિત હોવાથી તેમને
કણબીઓ ભોજન કરાવતા. આમ ભવાઈ લોકજીવનના તાણાવાણા
સાથે વણાઈ ગઈ હતી અને પોતાની અનોખી છાપ સાથે મુક્તપણે
વિહરતી હતી.
ૃ
ભવાઈમાં લોકમનોરં જન ભરપ ૂર હોવા ઉપરાંત લોકજાગતિ અને
લોકપરિવર્તનનો સ ૂર મહત્વનો છે . ગુર્જર લોકકલામાં ભવાઈને
નાટકની પરિભાષામાં કદાચ ‘ટોટલ થિયેટર’ કહી શકાય. ભવાઈના
કલાકાર-સંઘને ‘ટોળું’, ટોળાના નેતાને ‘નાયક’, પ્રયોગને ‘વેશ’, ‘ખેલ’,
‘સ્વાંગ’ એવી સંજ્ઞાઓ આપવામાં આવી છે . ભવાઈના ભાષાબંધને
ૂ માં સમજવા માટે ‘કાવ્યાદર્શ’નુ ં સ ૂત્ર ‘પદ્યં ગદ્યં ચ મિશ્રં ચ તત ્
ટંક
ત્રિધૈવ વ્યવસ્થિતમ’્ સ ૂચિત છે . ભવાઈના વેશોમાં ઉત્તર ગુજરાતની
બોલીનો તળપદો રં ગ, સૌરાષ્ટ્રની બોલીની છાંટ, ચરોતરી રં ગ અને
ગુજરાત સમસ્તના ઢંગ છે . પાત્રો પોતાની જાતિ, જ્ઞાતિ, પાત્રગત
સ્વભાવ પ્રમાણે બોલે છે . લોકનાટ્યની આ જ મઝા છે , એમાં હાસ્ય,
નર્મ-મર્મ, કટાક્ષ, સ્વભાવદર્શન, સમાજનુ ં દર્શન, શક્તિનુ ં પ્રગટીકરણ,
ગ ૂઢ મર્મ, ઉઘાડો પ્રેમ, નાટ્યતત્વ, સમયાનુકૂળ અભિમત અર્થ અને
શિક્ષણ પ્રગટ થાય છે . આ ગાવા માટે ન ુ ં – બોલવા માટે ન ુ ં કંઠસ્થ
ભાતીગળ સાહિત્ય છે . ભવાઈમાં ગદ્ય નહિવત ્ હોય છે , ગીત-કવિત
મુખ્ય હોય છે . આ વેશોમાં ‘દોહરો’, ‘સોરઠો’, ‘ચોપાઈ’, ‘જેકરી’,
‘ચરણાકુળ’, ‘સવૈયો’, ‘હોળા, ‘કુંડળિયો’, ‘ઉલાળો’, ‘છપ્પો’, ‘ચંદ્રાવલો’,
‘પ્લવંગમ’્ , ‘ઝૂલણા’, ‘મનહર’, ‘લલિત’ જેવા છંદો છે . વળી ગઝલ,
રે ખતા, સાખી દ્વિપદી, પબેડો, દે શીય એમાં છે , જે વેશમાં માત્ર નાટકીય
પરિસ્થિતિના સર્જન અને વેશની પ્રભાવક રજૂઆત માટે છે . તેની
ભજવણીમાં પાત્રોની સામાન્ય ગતિક્રિયા (movement) કરતાં નર્તન
વધુ હોય છે . ભાવાશ્રિત ‘ન ૃત્ય’ અને લયાશ્રિત ‘ન ૃત્ત’ – આ આંટિયો,
ફૂદડી, બહરા, ખરહરા, મોહના, રાણીનો નાચ, બીબી ચટકી કે જોરુડીની
ચટકી – એ નર્તનના વિવિધ ઘટકો છે . બંને પ્રકારનાં નર્તન ભવાઈનાં
મુખ્ય અંગો છે . ભવાઈના નર્તનના અંશોને ‘ઘ ૂઘરા રમવા’ કહે છે અને
એમાં 7 પ્રકારનાં ચલનો છે . સંગીતમાં હિંદુસ્તાની ગાયકીના રાગ જેવા
કે આશાવરી, મારુ, તોડી, સામેરી, માઢ, પ્રભાત, ભૈરવી, બિહાડા, સારં ગ,
કાનડો, મલ્હાર વગેરે અને તાલ જેવા કે ચલતી, ચેતમાન, દોઢિયો,
તરં ગડો, લાવણી, દીપચંદી, કેરવો, હીંચ વગેરેનો સમાવેશ થાય છે .
પ્રારં ભમાં વેશગોર ચાચર બાંધે છે એટલે કે ધાર્મિક વિધિ કરે છે ; જેથી
કલાકારો પર મલિન તત્વોની અસર ન થાય. વેશની શરૂઆત એટલે
ભારતની પ્રચલિત વિધિથી એટલે કે ગણેશના વેશથી થાય છે . પાત્ર-
પ્રવેશ પહેલાં આવણુ ં ગવાય છે ; જેને સંસ્કૃત નાટકમાંના પાત્રપ્રવેશ
પ ૂર્વેના પાત્રવર્ણન કરતા પ્રાવેશિકી ધ્રુવાના શ્લોકો સાથે સરખાવી
શકાય. જુદા જુદા વિસ્તારોમાં ગણેશનુ ં આવણુ ં જુદું જુદું હોય છે .
ં ે ગણેશપ ૂજન માટે બોલાવાય,
ગણેશના વેશના બ્રાહ્મણને રં ગેચગ
ગણેશનો પ્રવેશ રાગ, તાલ, ઢાળ સાથે ખ ૂબ સુદર
ં રીતે થાય છે . કાંસા
કે પિત્તળની થાળી પર સાથિયો દોરે લો હોય એ પાત્ર મોઢા આગળ
રાખે જે ગણેશનુ ં મુખ સ ૂચવે છે . ગણેશ-પ ૂજન પ ૂરું થતાં એ પાત્ર તરત
જ અન્ય પાત્રના પહેરવેશની પ ૂર્વતૈયારી કરવા ચાલ્યુ ં જાય છે .
ગણેશ-પ્રસ્થાન સાથે જ બ્રાહ્મણ-કાબાનો વેશ રજૂ કરાતો હોય છે .
કેટલાંક મંડળો કાલીનો વેશ રજૂ કરે છે . સૌરાષ્ટ્રની મંડળીઓ છે લ્લે
દિવસે પ ૂર્ણાહતિ
ુ રૂપે આ વેશ ભજવે છે .
મહેશ ચોકસી
બકુલ ટે લર
નર્તનકલા
‘नानायक्ति
ु मनोहरा किल नटी लास्योत्तमा गर्ज
ु री ।’ આમ, લાસ્ય-
ન ૃત્યમાં ગુર્જરી નારીને ઉત્તમ વર્ણવી છે .
હાલના વિશેષ કાર્યરત નર્તકોમાં રમા શ્રીકાંત, શ્રી મૌલિક શાહ અને
ઇશિરા પરીખ, બિજોય શિવરામ, હિરણાક્ષી દે સાઈ, શર્મિષ્ઠા સરકાર,
વૈશાલી ત્રિવેદી, ઐશ્વર્યા વારિયર, સુપ્રભા મિશ્રા, ભરત બારીયા અને
અક્ષય પટે લ, ચંદન-નિરાલી ઠાકોર, શિવાંગી વિક્રમ વગેરે નામો નોંધી
શકાય.
ગોવર્ધન પંચાલ
ઉમા અનંતાણી
લોકન ૃત્ય
લોકન ૃત્યો લોકઉત્સવો અને ધાર્મિક પરં પરાઓ સાથે જૂના કાળથી
જોડાયેલાં છે . લોકમેળાઓ હોય; હોળીનો તહેવાર, ગોકળઆઠમ અને
નોરતાં જેવાં વારપરબ હોય; રાંદલ તેડ્યાં હોય કે પછી લગ્ન જેવા
મંગલ પ્રસંગની ઉજવણી થતી હોય ત્યારે લોકહૈયાં આનંદવિભોર
બનીને નાચે છે , ગાય છે અને જીવનનો થાકોડો ખંખેરીને હળવાંફૂલ
થઈ જાય છે . લોકન ૃત્યોનો સંબધ
ં જેટલો સામાજિક ઉત્સવ સાથે તેટલો
જ લોકજીવનની ધાર્મિક પરં પરાની સાથે જોડાયેલો છે .
ં ૂ વો
રાંદલનો ઘોડો ખદ
ંૂ
રાંદલનો ઘોડો ખદવો ંૂ
એને કેટલાક ‘હમચી ખદવી’ એમ પણ કહે છે .
આ વખતે રાંદલને રાજી કરવા હમચી-ગીતો ગવાય છે .
જાગન ૃત્ય
દાંડિયારાસ
ં ૂ ન – સોળં ગા રાસ
ગોફગથ
રાસડા
ગરબી
ગરબો અને ગરબી – બેય ન ૃત્યપ્રકારો નવરાત્રિના ઉત્સવ સાથે
સંકળાયેલા છે . એ બંને સંઘન ૃત્યના જ પ્રકારો છે . ગરબો મોટે ભાગે
સ્ત્રીઓ ગાય છે , ક્યારે ક પુરુષો પણ એમાં જોડાય છે ; જ્યારે ગરબી એ
પુરુષો ગાય છે . સ્વ. શ્રી મેઘાણીભાઈ નોંધે છે કે ‘પુરુષો
ગરબી(લાકડાની માંડવડી)ની ચોગરદમ ગરબી મચાવતા ને ફૂદડી
ફરી લેતા.’ ગરબો એટલે છિદ્રોવાળો ઘડો અને ગરબી એટલે લાકડાની
માંડવડી – એવો અર્થ પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે .
હીંચ–ન ૃત્ય
જ્યારે હડ
ુ ા-રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે તાલે
સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે રાસ રમે છે . આ રાસ
ગીત વગર પણ એવો જ સરસ ઊપડે છે . ભરવાડ અને ભરવાડણોના
ભાતીગળ પોશાકને કારણે રાસનુ ં દૃશ્ય હૃદયંગમ બની રહે છે .
ઠાગા–ન ૃત્ય
ઠાગા-ન ૃત્ય એ ઉત્તર ગુજરાતના ઠાકોરોનુ ં અનુપમ લોકન ૃત્ય છે .
સૌરાષ્ટ્રના લોકમેળાઓમાં શ ૂરાઓના તલવાર-રાસમાં જે ખમીર અને
જોમ જોવા મળે છે તે ઠાકોરોના આ ન ૃત્યમાં જોવા મળે છે .
ઢોલો રાણો
અશ્વન ૃત્ય
‘ગાયનુ ં તરત ું
ઘોડાનું ચરત ું
ઘેર ન ૃત્ય
તડવીઓની આલેણી–હાલેણી
શિકાર–ન ૃત્ય
આગવા–ન ૃત્ય
કાકડા–ન ૃત્ય
માંડવા–ન ૃત્ય
ડુગ
ં રદે વની પ ૂજામાં રજૂ થતાં દે વીન ૃત્ય પ્રસંગે અગ્નિન ૃત્ય કરવામાં
આવે છે . આદિવાસીઓ શ્રદ્ધાપ ૂર્વક સળગતાં અંગારા પર ઉઘાડા પગે
ચાલે છે . ગુજરાતની પ ૂર્વ પટ્ટી પર આવેલા આદિવાસી વિસ્તારમાં
હોળીના બીજા દિવસે ‘ચ ૂલ’ યોજવામાં આવે છે . તેમાં પણ
આદિવાસીઓ અડવાણા પગે અંગારા પર ચાલે છે . અગ્નિન ૃત્ય
દરમિયાન બે-ત્રણ વ્યક્તિઓ બેઉ હાથમાં લાકડાના સળગતાં ઠૂંઠાં
લઈને નાચે છે . સળગતા લાકડાનાં ઠૂંઠાંઓમાં થતો ભડકો બુઝાવી,
સળગતાં ઠૂંઠાંઓ હાથ પર, પીઠ પર પેટ પર અને બરડામાં પોતાના
અને સામા માણસના અંગ પર ચાંપે છે . રૂંવાડાં ખડાં કરી નાખે એવી
વાત તો એ છે કે લાકડાના સળગતા કોલસા ને ઠૂંઠાં મોંમાં મ ૂકી
મોજથી ન ૃત્ય કરે છે .
સીદીઓની ધમાલ
કચ્છી ઘોડી
શિવપ્રસાદ રાજગોર
લોકકલા
લોકકલાનાં વ્યાવર્તક લક્ષણો અને તેની પરં પરા : લોકકલા એટલે લોકો
અને ભ ૂમિગત કલાકારો દ્વારા પરં પરાએ સર્જાયેલી લૌકિક તત્વવાળી
કલા. આ લોકકલાકારો અને કારીગરોએ જનસમ ૂહની રુચિને ધ્યાનમાં
રાખીને વ્યાવહારિક તેમજ ધાર્મિક પરં પરાને અનુસરીને, પોતાની
આંતરસ ૂઝ તેમજ સાંઘિક રીતે આ કલાકારીગરીનો વિકાસ કર્યો છે .
લોકકલાકારીનો અનુબધ
ં લોકજીવન અને લોકધર્મપરં પરા સાથે
જોડાયેલ હોવાથી લોકકલાકાર પ્રાયશ: લૌકિક પરં પરા તોડતો નથી,
પણ જનરુચિ પ્રમાણે કલા અને કારીગરીનુ ં સર્જન કરી પોતાની
રોજીરોટી કમાઈ લે છે .
ભરતકામ
ચણિયાની ભાતો પણ ગ્રામપ્રદે શમાં થતાં વેલ, ઝાડ, થોર અને ફૂલો
પરથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવે છે . મીઠી લીંબડી, લીંબડો,
બથરા-કેવડા, ફૂલ-થંભા, કારે લીની વેલ, ઢોંકવેલ, ઘીંહરાવેલ વગેરે
ભાતો ચણિયા પર ખીલી ઊઠે છે . લોકનારીઓ બાળકો માટે મજાનાં
વસ્ત્રો ભરતી રહી છે . દીકરા માટે મોળિયાં મ ૂકેલાં કેડિયાંમાં ડોડવાની
ભાત, બાકીની જગામાં સિકલ અને ખાંપો ભરે છે ; ઓખાચલ્લી અને
કેવડાભરત ભરી સતારા અને મોતી મઢીને ટોપી ભરે છે . ચોરણીમાં
નીચે મોળિયાં મ ૂકી ચંદાવેલ, ઘીંહરાવેલ, બુટ્ટી, મોર, પોપટ, સિકલ અને
ખાંપો ભરે છે . છોકરાનાં કેડિયાં અને ચોરણી પર ખીચોખીચ ભરત
ભરવાનો ચાલ કચ્છમાં આજે પણ છે . સૌરાષ્ટ્રમાં છોકરાઓ કે
પુરુષોનાં કેડિયાં પર ભરત ભરવાનો રિવાજ જૂના કાળે હતો; આજે
એના અવશેષ રૂપે દરજી પાસે સફેદ કેડિયા પર લાલ, લીલા, વાદળી
દોરાથી મોર, પોપટ વગેરે ભાતો ભરાવવાનો રિવાજ રહી ગયો જણાય
છે .
જોરાવરસિંહ જાદવ
સમ ૂહમાધ્યમો
150 ગ્રાહકો, 1200 રૂપિયાની સરકારી સહાય અને સ્વયંના સાહસ સાથે
તંત્રી ફરદુનજી મર્ઝબાને 1 જુલાઈ, 1822 ના દિવસે ‘શરી મુમબઇના
સમાચાર’નો પ્રથમ અંક બહાર પાડ્યો. આ સાપ્તાહિક બાદમાં 3
જાન્યુઆરી, 1832 થી દૈ નિક સ્વરૂપે એક પાનાના કદમાં, એક વર્ષ બાદ
સપ્તાહમાં બે દિવસ અને છે વટે ઈ. સ. 1855 થી ફરીથી દૈ નિક સ્વરૂપે
પ્રકાશિત થયુ,ં જે આજે પણ ‘મુબ
ં ઈ સમાચાર’ નામે જીવિત છે .
હાલમાં, કામા પરિવારની માલિકીનુ ં આ વર્તમાનપત્ર કદાચ એકમાત્ર
એવુ ં અખબાર છે , જે મંગળવારે ‘પુરુષ’ નામે પ ૂર્તિ પ્રકાશિત કરે છે .
રાજકીય જાગૃતિના પ્રસાર માટે 1882 માં શરૂ થયેલા ‘કયસરે હિન્દ’ને
યાદ કરવુ ં પડે. તેના તંત્રી ફરામજી મહેતાએ પહેલા જ અગ્રલેખમાં
‘સ્વતંત્રતાની હિમાયતે જવુ’ની
ં સ્પષ્ટ જાહેરાત કરી હતી. 1916 માં
પત્રનુ ં પોતાનુ ં છાપખાનુ ં થયુ.ં 1931 માં ગોળમેજી પરિષદમાં પોતાના
પ્રતિનિધિને સમાચારો પ્રાપ્ત કરવા મોકલનાર એ દે શી ભાષાનુ ં પહેલ ું
પત્ર હત.ું
વાસુદેવ મહેતા
1962 માં Early Bird નામે ઉપગ્રહ અવકાશમાં તરતો મુકાયા બાદ
ટીવી પ્રસારણમાં ક્રાંતિ સર્જાઈ. એ પછીનાં વર્ષોમાં ઇનટે લ સેટ,
ઇન્ટરસ્પુટનિક વગેરે ઉપગ્રહોને કારણે દૂરસંચાર ક્ષેત્રે નવાં પરિમાણો
સધાયાં. 1970 ના દસકમાં કમ્પ્ય ૂટર ટૅક્નૉલૉજીને કારણે પ્રસારણકેન્દ્રો
અને સિગ્નલ મેળવતાં ઘરો વચ્ચે સંચાર શક્ય બન્યો. વીડિયો
કૅસેટ્સ, વીડિયો ટે પ રે કૉર્ડર, વીસીડી, ડીવીડી, પેનડ્રાઇવ જેવાં સાધનો
સાથે સીસીટીવી, કૅબલ ટીવી, પે-ફોન ટીવી, ડિરે ક્ટ બ્રૉડકાસ્ટિંગ
સિસ્ટમ, વાઇફાઇ ટીવી એમ વધુ ને વધુ આધુનિક તથા ગ્રાહકકેન્દ્રિત
સેવાઓ પ્રસાર પામતી ગઈ.
દૂરદર્શન કેન્દ્ર રાજકોટ 30 ઑગસ્ટ, 1984 માં પ્રદે શ વિશેષ કેન્દ્ર તરીકે
શરૂ થયુ.ં 10 જુલાઈ, 2003 માં છ કિલોવૉટ ટ્રાન્સમીટર મ ૂકવામાં
આવ્યાં. રાજકોટ કેન્દ્ર દ્વારા ડીડી – ગિરનાર માટે પણ કાર્યક્રમ
નિર્માણનુ ં કામ થાય છે . ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ એમ
નિર્માણ અને પ્રસારણ કરતાં બે ડીડી કેન્દ્રો છે . ડીડી મેઇન્ટે નન્સ કેન્દ્રો
અમદાવાદ, ભાવનગર, ભરૂચ, રાજકોટ, સ ૂરત અને વડોદરા જ્યારે
હાઇ પાવર ટ્રાન્સમીટર ભુજ, દ્વારકા, રાધનપુર, સ ૂરત અને વડોદરા
ખાતે સ્થિત છે .
મીનાક્ષી ઠાકર
પ્રીતિ શાહ
ુ ોત્તર ગજ
યદ્ધ ુ રાતી સિનેમા
બીજુ ં વિશ્વયુદ્ધ પ ૂરું થયા બાદ, અર્ધા દાયકાના શ ૂન્યાવકાશ પછી
ગુજરાતી સિનેનિર્માણ પુન: પ્રારં ભ પામ્યુ.ં વી. એમ. વ્યાસ-દિગ્દર્શિત
સનરાઇઝ પિક્ચર્સની ફિલ્મ ‘રાણકદે વી’ (1946) અત્યંત લોકપ્રિય
નીવડી. જૂનાગઢના રા’ખેંગાર સાથેની રાણકદે વીની સ્નેહકથા અને
પાટણના રાજા સિદ્ધરાજની રાણકદે વીને મેળવવા જૂનાગઢ પરની
ચઢાઈ, યુદ્ધમાં રા’ મરાતાં રાણકદે વીનુ ં સતી થવુ ં વગેરે કથાવસ્ત ુ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રચલિત હોવાથી આ ફિલ્મ ઘણી સફળ થઈ અને
તેણે આ પ ૂર્વેની ગુજરાતી ફિલ્મ ‘સંસારલીલા’ના વિક્રમો તોડ્યા.
રાણકદે વીની ભ ૂમિકામાં અંજનાએ અભિનય કર્યો હતો. ગીત, સંગીત,
સંવાદ અનુક્રમે કવિ ‘મનસ્વી’, છન્નાલાલ ઠાકોર તથા કરસનદાસ
માણેકે લખ્યાં હતાં. આ ફિલ્મના ‘લાખ લાખ દીવડાની આરતી
ઉતારજો’ અને ‘મારે તે ગામડે એક વાર આવજો’ આજે પણ
તત્કાલીન પ્રેક્ષકોના કાનમાં ગુજે
ં છે . તે ઉપરાંત આ ફિલ્મમાં
‘તરવરિયા તોખાર, હૈય ુ ં ન ફાટ્યું હંસલા; મરતાં રા’ખેંગાર મારે
ગામતરાં ગુજરાતનાં’ તથા ગિરનારની પડતી શિલાને ઉદબોધીને
રાણકદે વી દ્વારા ગવાયેલ દોહો ‘મા પડ, મારા આધાર; ચોસલાં કોણ
ચઢાવશે, ગયા ચઢાવણહાર’ વગેરેએ ગામડાંના પ્રેક્ષકવર્ગ પર જાદુઈ
અસર કરી હતી.
1960 માં મનહર રસકપ ૂરના દિગ્દર્શન હેઠળ સાધના પ્રોડક્શને ‘કાદુ
મકરાણી’ અને ઉષા પ્રોડક્શને ‘મહેંદી રં ગ લાગ્યો’ ચલચિત્ર તૈયાર
કર્યાં. એક ચલચિત્ર સૌરાષ્ટ્રી વાતાવરણવાળું અને બીજુ ં ચલચિત્ર
શહેરી વાતાવરણવાળું હત.ું ‘કાદુ મકરાણી’ ફિલ્મ આ જ દિગ્દર્શકની
ઐતિહાસિક ફિલ્મો સાથે સંબધ
ં ધરાવે છે . અવિનાશ વ્યાસના ગીત-
સંગીતની તાજગીએ આ ચલચિત્રને સફળતા અપાવવામાં ભાગ
ભજવ્યો હતો.
1961 માં માત્ર 7 ગુજરાતી ફિલ્મો બની હતી તેમાં રામચંદ્ર ઠાકુર-
દિગ્દર્શિત ‘હીરો સલાટ’ અને શરદ દે સાઈ-દિગ્દર્શિત ‘વીર રામવાળો’
નોંધપાત્ર હતી. ડભોઈના જાણીતા શિલ્પી હીરા સલાટની દં તકથા પર
આધારિત આ ચલચિત્રને 1961 ના શ્રેષ્ઠ ચલચિત્રનો ઍવૉર્ડ મળ્યો
હતો. ‘વીર રામવાળો’ ફિલ્મ વીસમી સદીના અમરે લી જિલ્લાના એક
બહારવટિયાની સત્યકથા ઉપર આધારિત હતી. 1962 માં 4 ફિલ્મો
અને 1963 માં 6 ફિલ્મો ઊતરી હતી, તેમાં દિનેશ રાવળ-દિગ્દર્શિત
‘જીવણો જુગારી’ નોંધપાત્ર હતી. ગુણવંતરાય આચાર્યે લખેલી વાર્તા
ઉપર આધારિત આ ફિલ્મમાં એક અપરાધીના હૃદયપરિવર્તનની કથા
સારી ઝિલાઈ છે અને તેમાં અરવિંદ પંડ્યાએ તેમની કારકિર્દીનો શ્રેષ્ઠ
અભિનય આપ્યો હતો.
1964 માં 2, 1965 માં 5, 1966 માં 2, 1967 માં 3, 1968 માં 3, 1969 માં 6
અને 1970 માં 5 ફિલ્મોનુ ં નિર્માણ થયુ ં હત.ું આ બધાં વર્ષોમાં ખાસ
નોંધપાત્ર સર્જન તરીકે પન્નાલાલ પટે લની જાણીતી વાર્તા ‘કંકુ’ પર
આધારિત એ જ શીર્ષકવાળી ફિલ્મને ગણાવી શકાય. કંકુની ભ ૂમિકા
ગુજરાતેતર રાજ્યમાં સ્થિત અવેતન ગુજરાતી રં ગભ ૂમિની અભિનેત્રી
પલ્લવી મહેતાએ ભજવી હતી. દિગ્દર્શક કાંતિલાલ રાઠોડની આ ફિલ્મ
આંશિક રીતે કલાત્મક બની શકી હતી. અભિનેત્રી પલ્લવી મહેતાને
1969 ના શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો
પુરસ્કાર પ્રાપ્ત થતાં ‘કંકુ’ આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પ્રાપ્ત કરનાર
સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ પુરવાર થઈ. આ ચલચિત્રને 1970 માં શ્રેષ્ઠ
પ્રાદે શિક કૃતિનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. તે ઉપરાંત
1970 માં ચુનીલાલ વર્ધમાન શાહની નવલકથા પરથી ઊતરે લી ફિલ્મ
‘જિગર અને અમી’ને નોંધપાત્ર કહી શકાય. ગુજરાત સરકારે
ગુજરાતમાં નિર્માણ થયેલી ફિલ્મને કરમુક્તિ આપવાની કરે લી
જાહેરાતની અસર ધીમે ધીમે થવા માંડી, છતાં 1971 માં માત્ર 2 જ
ફિલ્મો બની અને તે રવીન્દ્ર દવે-દિગ્દર્શિત ‘જેસલ તોરલ’ અને
મનહર રસકપ ૂર-દિગ્દર્શિત ‘ઉપર ગગન વિશાળ’. ઓર્વો કલરમાં
ઊતરે લી ‘જેસલ તોરલ’ પ ૂર્વે આગલા દાયકામાં માત્ર 2 જ રં ગીન
ગુજરાતી ફિલ્મો ઊતરી હતી. ‘લીલુડી ધરતી’ (1968) અને ‘ધરતીનાં
છોરું’ (1970). સિનેદિગ્દર્શક રવીન્દ્ર દવેએ જ્યારે 1971 માં ‘જેસલ
તોરલ’ ફિલ્મ ઉતારી ત્યારે લક્ષ્મી સ્ટુડિયો કામ કરતો થયો ન હતો;
ં ઈમાં થયુ ં હત.ું
આ ફિલ્મનુ ં આઉટડોર શ ૂટિંગ કચ્છમાં તથા બાકીનુ ં મુબ
માત્ર ગુજરાતી ફિલ્મ-ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના આશયથી તેને
મનોરં જન કરમાંથી મુક્તિ આપવામાં આવી. રવીન્દ્ર દવેએ 1972 થી
1976 સુધી ‘રાજા ભરથરી’, ‘હોથલ પદમણી’, ‘કુંવરબાઈનુ ં મામેરું’
જેવી 9 ફિલ્મોનુ ં દિગ્દર્શન કર્યું. પંડિતયુગના જાણીતા નવલકથાકાર
ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ની કથાના આધારે
ગોવિંદ સરૈ યાએ ‘ગુણસુદરીનો
ં ઘરસંસાર’ (1972) નામની એક સ્વચ્છ
અને કંઈક અંશે કલાત્મક કૃતિનુ ં નિર્માણ કર્યું હત.ું
1975 માં ગુજરાત સરકારે બીજાં ત્રણ વર્ષ માટે કરમુક્તિની નીતિ
જાહેર કરી. મનહર રસકપ ૂર, બાબુભાઈ મિસ્ત્રી જેવા જૂના જોગીઓ
ઉપરાંત ચંદ્રકાન્ત સાંગાણી, સુશીલ વ્યાસ, ગિરીશ મનુકાન્ત,
શાંતિલાલ સોની, નરે ન્દ્ર દવે જેવાં નવાં નામો ઉમેરાયાં. હિંદી ફિલ્મ-
નિર્માતા રામકુમાર બોહરા પણ ગુજરાતી ફિલ્મજગતમાં પ્રવેશ્યા.
ઉષાકાન્ત મહેતા
ચલચિત્ર
હશ ુ ં ીલાલ’ (દિ. સંજીવ શાહ) અને બીજુ ં 1994 માં નિર્માણ પામેલ ું
ુ ં ી હશ
‘માનવીની ભવાઈ’ (નિર્માતા અને દિ. ઉપેન્દ્ર ત્રિવેદી).
2006 પછી જે કેટલાંક નોંધપાત્ર ગુજરાતી ચિત્રો બન્યાં તેમાં 2008 માં
‘અમદાવાદ ટુ પાલનપુર વાયા કડી-કલોલ’, ‘મહિયરમાં મનડું લાગત ું
નથી-2’ અને ‘પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય’ને વ્યાવસાયિક
સફળતા મળી હતી. અંગ્રેજ અને હિંદી ચિત્રોમાં એક ચિત્રના કથાનક્ધો
આગળ વધારત ું કથાનક (સીક્વલ – sequel) લઈને તેનો બીજો ભાગ
બનાવવાનુ ં ચલણ છે , તેવ ુ ં ગુજરાતીમાં પહેલી વાર ‘મહિયરમાં મનડું
લાગત ું નથી-2’ના સર્જન સાથે બન્યુ.ં 2001 ના વર્ષમાં આ ચિત્રનો
પહેલો ભાગ બન્યો હતો. આ ઉપરાંત ‘વનેચદ
ં નો વરઘોડો’માં
ખ્યાતનામ બ્રિટિશ કૉમેડી પાત્ર ‘મિ. બીન’ પરથી પ્રેરણા લઈને આ
ચિત્રમાં ગાયક-અભિનેતા દે વાંગ પટે લે મુખ્ય ભ ૂમિકા ભજવી હતી.
2010 માં ‘બેટર હાફ’ (લેખક-દિ. આશિષ કક્કડ)માં પહેલી વાર
સંવાદોમાં અંગ્રેજી મિશ્રિત ગુજરાતી ભાષાનો ઉપયોગ કરાયો હતો.
આજે શહેરોમાં યુવાન પતિ-પત્ની બંને કામ-નોકરી-વ્યવસાય કરતાં
હોય છે . આવા એક યુગલની વાત ‘બેટર હાફ’માં છે . 2012 માં ‘કેવી
રીતે જઈશ’, ‘ભલે પધાર્યા – વેલકમ ટુ ગુજરાત’, ‘વીર હમીરજી –
સોમનાથની સખાતે’, ‘શિકાર – ધ મર્ડર મિસ્ટરી’, ‘પરે દશ એક સપનુ’ં
(દિ. વિપુલ વ્યાસ) વગેરેનો સમાવેશ થાય છે . 2012 માં પ્રદર્શિત
થયેલાં આ બધાં ચિત્રો મલ્ટિપ્લેક્સમાં રજૂ થયાં, શહેરી પ્રેક્ષકોમાં
ચર્ચાસ્પદ બન્યાં અને કોઈ ને કોઈ કારણે વિશિષ્ટ બની રહ્યાં. ‘પરદે શ
એક સપનુ’ં (નિર્માતા-દિગ્દર્શક વિપુલ વ્યાસ) ચિત્રનુ ં શ ૂટિંગ
ઑસ્ટ્રે લિયામાં કરાયુ,ં અને પહેલી વખત એવુ ં બન્યુ ં કે આ ચિત્ર પહેલાં
ઑસ્ટ્રે લિયામાં પ્રદર્શિત કરાયુ ં અને પછી ગુજરાતમાં પ્રદર્શિત થયુ.ં
‘કેવી રીતે જઈશ’ (દિ. અભિષેક જૈન)નુ ં કથાનક ગમે તેમ કરીને
અમેરિકા પહોંચવા મથતા યુવાન અને તેને ગમે તેમ કરીને અમેરિકા
પહોંચડાવા મથતા તેના પરિવારનુ ં છે . ગુજરાતમાં ઠેરઠેર જિવાઈ
રહેલા આવા વાસ્તવિક કથાનક પર આધારિત આ ચિત્રને
વ્યાવસાયિક સફળતા મળી છે અને ખાસ તો શહેરી પ્રેક્ષકોને તે
આકર્ષી શક્યું છે . ‘વીર હમીરજી – સોમનાથની સખાતે’ (દિ. નીલેશ
મોહિતે) એક લોકકથા પર આધારિત છે , જેમાં 15 મી સદીમાં
સૌરાષ્ટ્રના અમરે લી પંથકનો હમીરજી ગોહિલ નામનો એક યુવાન
પોતાના મિત્રો સાથે મળીને સોમનાથ મંદિર પર આક્રમણ કરવા
આવતા એક મુસ્લિમ બાદશાહ સામે લડીને શહીદ થાય છે . આ ચિત્રને
વ્યાવસાયિક સફળતા મળવા ઉપરાંત આ ચિત્ર ગુજરાતી ચલચિત્રોના
ઇતિહાસમાં પહેલ ું એવુ ં ચિત્ર બન્યુ ં કે જે શ્રેષ્ઠ વિદે શી ભાષાના ચિત્ર
માટે ના વર્ગમાં ઓસ્કર ઍવૉર્ડ માટે ભારત સરકાર તરફથી
મોકલવામાં આવનાર સત્તાવાર ચિત્ર માટે ધ્યાનમાં લેવામાં આવ્યુ ં
હોય. ભારત સરકારે વિવિધ ભારતીય ભાષાઓનાં કુલ 19 ચિત્રોને એ
માટે ધ્યાનમાં લીધાં હતાં તેમાં ‘વીર હમીરજી – સોમનાથની
સખાતે’નો પણ સમાવેશ થયો હતો.